સોમવાર, 27 જુલાઈ, 2020

ભોળો તું ભોલેનાથ


મૌત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?
અસ્તિત્વ તારું સમજાવ અમને
બસ હવે બહું થયું  તું જ સાંભળ અમને
તારે મારવા જ છે ને કહી દે અમને
પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાખને
આ રોજ રોજ મરે છે તે નથી ગમતું 
શ્રાવણ માસે શા સારું પજવા તને
વિનંતી કરીએ અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને
આ રોજ રોજ જોડવાના હાથ તે નથી જોવાતું 
ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને
માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને
આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું 
પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને
જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને
તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું 
તને બેસાડ્યો મંદિરીયામાં હવે તો સહાય કરને
તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને
ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું 
----- રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો