સોમવાર, 18 મે, 2020

'સરસ્વતીચંદ્ર' સૌનું પ્રિય પુસ્તક

ગુગમ ગરિમા મંચ પર રેખા શુક્લના વંદન 
શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર સાહિત્યકૄતિ કે જે ભાવનાથી 
સભર અને અદ્વિતીય મહાકથા એટલે 'સરસ્વતીચંદ્ર'સૌનું પ્રિય પુસ્તક.. તેનું રૂપાંતર ભારતની ધણી બધી 
ભાષામાં થયું હિન્દી ચલચિત્ર ખૂબ વખણાયું. નવીનચંદ્ર અને કુમુદસુંદરીની પ્રેમકથા એટલે સરસ્વતીચંદ્રનું સુંદર આલેખન. ચાર ભાગમાં લખાયેલી ભાગ ૧ માં બુધ્ધિધન નો કારભાર જ્યારે ભારતી રજવાડાની વાતો લખાઇ હતી. સત્તાની ખેંચતાણ ચાલી રહેલી તે સમયે નાયક સરસ્વતીચંદ્ર ને નવીનચંદ્ર તરીકે અને નાયિકા ને કુમુદસુંદરી તરીકે ઓલખ આપવામાં આવી છે. પ્રેમકથામાં ગૄહસ્થી અને સંન્યાસ ની વચ્ચે ઝૂલતો નાયક અને ભૌતિક પ્રેમનું બલિદાન આપી સમાજના ઉત્થાનનો માર્ગ અપનાવે છે. 
ગૄહ્ત્યાગ નું પણ આલેખન,. સંયુક્ત કુટુંબમાં કુમુદસુંદરીનું સરસ્વતીચંદ્ર સાથે વૈવિશાળ  ચિઠ્ઠીની-પ્રેમપત્રની આપલે થાય છે. યાદ આવ્યું ફૂલ તુમ્હૈ ભેજા હૈં ખતમે હા હા હા કેટલું સરસ તેનું વર્ણન સામે જવાબમાં ચંદનસા બદન ચંચંલ ચિતવન પણ વેવિશાળ રદ કરવામાં આવતાં છોડ દે સારી દુનિયા કિસીકે 
લીયે ભાગ ૨ માં ગુણોથી ભરપૂર આદર્શ ગૃહિણી નું નક્કી ત્યાંજ સામે વાળાના આદર્શને જોઈને કરવામાં આવે છે. લગ્ન પછી પ્રેમનું આબેહુબ વર્ણન સરળ ભાષામાં ચિતરાય છે.ને ચોથું ગીત
 મૈ તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે. એક એક થી ચઢિયાતા નિરાળા વ્યક્તિત્વની ને પાત્રોની પ્રેમની ને ગીતની ગુથવણી કરવામાં આવી છે. અસ્તુ 
હું કુમુદ...!!
આજે મન ખુબ ખુશ હતું તેઓ મને જોવા ધરે આવવાના હતા. હું કુમુદ, શરમાઈ ગયેલી બાજુમાં ઉભી તેમને જોતી બોલીઃ તમે કેમ કંઈ લેતા નથી ? 
તેઓ બોલ્યાઃ તમે ક્યા કંઈ ખબડાવો છો ? હુ આડુ જોઈને બોલીઃ લ્યો આ સફરજન ખાઓ. 
તે બોલી પડ્યાઃ આવી રીતે તો ભીખારીને પણ ભીખ કોઈ ના આપે.  એવું ના કહો કહી મેં એમના
હાથમાં સફરજન મૂકવા માંડ્યું ...જેવું મેં એમને આપ્યું તેમણે મને તેમની તરફ તાણી લીધી. તેમની તત્પરતામાં હું વિહવળ થઈ ગઈ. ત્યાં તો મારી બહેન ગ્લાસ લઈને પ્રવેશી. હું છૂટી શરમાતી રૂમની  બહાર દોડી ગઈ...થોડી મલકાઈ પણ ગઈ. એમણે પુસ્તિકા વાંચવાનો ડોળ કર્યો મારી બહેન મને જોઈ 
રહી. પછી બોલી ઃએમ કરો જીજાજી લો આ ઠંડુ ઠંડુ શરબત પીઓ.
મને બારણાના આરપાર ઝાંખા પડદામાંથી જોઈ રહેલા તેમણે મને ફૂલ ફેંકી ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો પણ તે મારી બાજુમાં સૂતેલ બહેન પર પડ્યું તેણે મારી તરફ તાત્કાલિક ફેંક્યું ને ઉંધવાનો ડોળ 
કર્યો. હું તેમની તરફ દોરાઈ.  ધીમેથી બોલી કોઈ સાંભળશે... દિવાના પાગલ કહેશે ક્યાંક થઈ તો નથી ગયા ને ? ને સરસ્વતી ચંદ્ર બોલ્યા થઈ પણ જાઉં તો મારો દોષ નથી.મારો પાલવ તેમણે પકડેલો ને હું શરમથી પાણી પાણી થતી પુલમાં સંતાતી મલકાતી તેમેને જોઈ રહી...તેમણે કીધું રૂકમણીનું હરણ 
થયેલ તેમ હું તને લઇ જવા તૈયાર છું. સરસ્વતીચંદ્ર ગાતા હતા... 
ચંદન સા બદન ચંચલ ચિતવન ધીરે સે તેરા યે મુસ્કાના, મુજે દોશ ન દેના જગવાલો હો જાંઉ અગર 
મૈં દિવાના...!!