રવિવાર, 27 માર્ચ, 2016

મન-મંદિરે નજરાણું !!

કેહવાયું સ્નેહના દરિયા સૂકાઈ ગયા વર્ષો જ્યાં વિતી ગયા
સહેવાયું મેઘ નું ના, ભીંજાવુ બારી-બારણા જ્યા બંધ થયા

તસતસતા યુગલ-સ્તન, ઝૂલાવી પર્ણ ચૂનર સરાવી ગયા
બજાવી કહાને સરગમ મૂકી તરતી, જાણી ભાન ભૂલાવ્યા

છંછેડો ના વ્હાલથી પાલવ લીલો, ભીંજેલાને ભીંજી ગયા
નવીન નજરાણું કૄષ્ણ-દર્શન, મન-મંદિરે આવી વસી ગયા
---રેખા શુક્લ