મનને મનાવી લેવામાં તો જીન્દગી પતવા આવી, 
ચાલ્યા જાય સ્વપ્ના ને નવી -જુની રસીદો જ રહી,
નજર દઈ દે ધોખો અને પગ જાય થંભી, 
ચિરનિંદ્રાની અભિલાશા માં રાત-દિવસ જાગતી રહી,
વલખાં મારવા પ્રેમના શાને મરી ને ય જીવતી રહી, 
પોતીકાં માન્યા પારકાં ને તો ય એકલી રહી,
વહી જતી આ જીન્દગીમાં કરચલીઓની જ ભરતી,
હિસાબ લગાવતી રહી બાદબાકી જીવતી રહી,
ઉડાનની મધ્યે આવી ને ઉભો છે ઉંમરો, 
હ્રદય પટે હંમેશા યાદો ની ભરતી રહી...
-રેખા શુક્લ(શિકાગો)
 
 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો